વેદાંતના ડિમર્જરને શેરહોલ્ડર્સ અને લેણદારોની લીલીઝંડી
વેદાંતના ડિમર્જરને શેરહોલ્ડર્સ અને લેણદારોની લીલીઝંડી
Blog Article
વેદાંતની ડિમર્જરની યોજનાને તેના શેરહોલ્ડર્સ અને લેણદારોએ ગુરુવારે મંજૂરી આપી હતી. ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના વડપણ હેઠળની આ કંપનીએ તેનું સ્વતંત્ર પાંચ કંપનીમાં વિભાજન કરવાની યોજના બનાવેલી છે.
સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં વેદાંતે જણાવ્યું હતું કે 99.99 ટકા શેરધારકોએ ડિમર્જર સ્કીમની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત 99.59 ટકા સિક્યોર્ડ લેણદારો અને 99.99 ટકા અનસિક્યોર્ડ લેણદારોએ પણ કંપનીની આ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું.
ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે 2023માં બિઝનેસના પુનર્ગઠનની યોજના બનાવી હતી. વેદાંતનું વિભાજન પાંચ કંપનીઓમાં કરવામાં આવશે. વેદાંત લિમિટેડ બેઝ મેટલનો બિઝનેસ કરશે. આ ઉપરાંત વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઇલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલનું પણ સર્જન કરાશે. વેદાંતની ડિમર્જર સ્કીમ મુજબ ડિમર્જરને પગલે વૈશ્વિક સ્તરની પાંચ સ્વતંત્ર કંપનીઓનું નિર્માણ થશે
Report this page